આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષાનાં પ્રવેશ પત્રો વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

આગામી શૈક્ષણિક સત્ર ૨૦૨૨-૨૩ દરમિયાન જવાહર નવોદય વિદ્યાલય ત્રાપજ બંગલા, જી.ભાવનગર ખાતે ધોરણ ૯ માં પ્રવેશ પસંદગી પરીક્ષા આગામી તા.૦૯.૦૪.૨૦૨૨ ના રોજ યોજાનાર છે. રોલ નંબર 131865 થી 132116 સુધીના કુલ ૨૫૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય, ત્રાપજ બંગલા પરીક્ષા કેન્દ્ર પરથી રોલ નંબર 132117 થી 132356 સુધીના કુલ ૨૪૦ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બેલા ગામ ખાતે આવેલ એન. એસ. ડાંખરા ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બેલા(બેલા સંસ્થા) પરીક્ષા કેન્દ્ર પરથી તથા રોલ નંબર 132357 થી 132568 સુધીના કુલ ૨૧૨ વિદ્યાર્થીઓ તળાજા તાલુકાનાં બોરડા ગામ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બોરડા પરીક્ષા કેન્દ્ર પરથી પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓએ પરીક્ષાના દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યે સબંધિત પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર થવું. પ્રવેશ પત્રો (એડમિટ કાર્ડ) www.navodaya.gov.in અથવા www.nvsadmissionclassnine.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે તેમ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા જણાવાયું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) હકીમ ઝવેરી

Related posts

Leave a Comment